હેતુ
- કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૫,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા
- અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ ₹. ૧૫,૦૦,૦૦૦/- સુધીની છે.
- આ યોજનામાં વ્યાજનો દર ₹. પ.૦૦ લાખ સુધી વાર્ષિક ૬ % રહેશે અને ₹. ૫.૦૦ થી ₹. ૧૦.૦૦ લાખ સુધી વાર્ષિક ૭% અને ₹. ૧૦.૦૦ લાખથી ₹. ૧૫.૦૦ લાખ સુધી વાર્ષિક ૮% રહેશે.
- આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
- આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
- પરિવહન યોજના હેઠળ અપાતી ટર્મ લોન હાલની સ્થિતિએ અમલમાં નથી.
Back to top button