હેતુ
- વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્યાંક જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્યવસાય કરતી મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ યોજના.
- આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્યવસાય કરી શકશે.
લોન મેળવવાની પાત્રતા
- અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- લોનની મહત્તમ મર્યાદા ₹. ૬૦,૦૦૦/- સુધીની રહેશે.
- વ્યાજનો દર વાર્ષિક ૪ % રહેશે.
- આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
- લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
- આ લોનની રકમ વ્યાજસહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
Back to top button