વિજાપુરના પેઢામલી ગામે ધારાસભ્યના હસ્તે સમાજની વાડીનું ખાતમૂહૂર્ત કરાયું
Post Above Advertisment
વિજાપુર તાલુકાના પેઢામલી ગામે ધારાસભ્ય સી.જે.ચાવડાના હસ્તે રાવળ યોગી સમાજની વાડીનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતુ. ધારાસભ્ય એ રાવળ યોગી સમાજના ઉત્થાન માટે શિક્ષણ, આવાસ, અને વિકાસના કામો
માટે આગળ વધાવવા પર ભાર મૂક્યો. અને સમાજના વિકાસ માટે સમાજના અગ્રણીઓએ સામાજિક કામગીરી માટે તત્પર રહેવા જણાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે આજે રાવળ યોગી સમાજ હરણફાળ ભરી રહ્યો છે. તે ખૂબ જ જરૂરી બાબત છે. આ પ્રસંગે ધારાસભ્ય ડો.સી.જે. જયેશભાઈ સુંદરપુર, કોટ પરસોત્તમદાસ, જંત્રાલ વિક્રમભાઈ, અમૃતભાઈ અબાસણા, ભગાભાઈ ફુદેડા, મુકેશભાઈ કાનાણી પાટણ, ઘનશ્યામભાઈ મોદીપુર, સ્થાપત શ્રી જોગમાયા ફાઉન્ડેશન અને એમ. આર.એસ. પ્રમુખશ્રી M.R.S ચંદુભાઈ પીલુદરા શૈલેષભાઈ બ્રાહ્મણવાડા, પૂર્વ પ્રમુખ લીલાભાઈ પેઢામલી તથા પેઢામલી રાવળ યોગી મિત્ર મંડળના પ્રમુખ વિપુલભાઈ, પ્રવિણભાઈ મિડિયા કન્વિનર, રાજુભાઈ, લાલાભાઈ, મંત્રી અશોકભાઈ રાવળ, પૂર્વ તાલુકા પ્રમુખ વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય બળદેવભાઈ પટેલ, માઢી મનિષભાઈ પટેલ, એ.વી.પટેલ સહીત રાવળ યોગી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.