whatsapp banner - Copy
LIVE TVराज्यशिक्षा

NTDNT સમુદાયની જીત! પરિપત્ર રદ – વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

Post Above Advertisment

place your add1
place your add

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર, જેના કારણે NTDNT સમુદાયના ડિપ્લોમા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ થવાની જાહેરાત થઈ હતી, હવે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે સમાજમાં ખુશીના મોજા ઉઠ્યા છે અને વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ છવાયો છે.

📌 આ જીત સહજ નહોતી!

આંદોલન અને પ્રયત્નો પરિપત્ર જાહેર થયાના દિવસથી જ શરૂ થયા હતા. ઘનશ્યામભાઈ રાવળ અને રમેશભાઈ નાવાણીના નેતૃત્વમાં વિસ્તારવાર અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં વિવિધ મંડળો, આગેવાનો, સમાજ સેવકો અને યુવાનોના આગ્રહ સાથે સતત સરકાર સુધી અવાજ પહોંચાડાયો.

 

👉 દરેક જિલ્લાની મીટિંગો, આવેદનપત્રો, મંડળોની સહમતી – દરેકની મહેનત આજે રંગ લાવી છે.

✔ સમાજના અનેક આગેવાનો દ્વારા અલગ-અલગ સ્થળોએ આવેદનપત્રો આપવામાં આવ્યા

✔ યુવાનોના સતત સંપર્ક અને જાગૃતિથી રાજ્યભરમાં એકતા મજબૂત બની

 

💬 NTDNT સમુદાયની કમિટી અને ઘનશ્યામભાઈ દ્વારા સ્પષ્ટ જાહેરાત:

“પરિપત્ર રદ થયો એ સમાજ માટે મોટી જીત છે, પરંતુ હજી ઘણી માગણીઓ અધૂરી છે. મહારાષ્ટ્ર મુજબ 11% અનામત સહિત અન્ય ન્યાયપૂર્ણ હકો માટે અમારી લડત અટકશે નહીં!”

 

🔥 વિદ્યાર્થીઓ માટે રાહત:

જે વિદ્યાર્થીઓએ ફી ભરવામાં મુશ્કેલી અનુભવેલી હતી, તેમના માટે આ સમાચાર ખુશીના પળ બની રહ્યા છે. હવે સમાજમાં એક નવી આશા જાગી છે.

 

📢 યોગી સેતુ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ સમાજને સાચી, સચોટ અને ઝડપી માહિતી પહોંચાડવામાં હંમેશા પ્રથમ રહેશે.

 

#VictoryForNTDNT #YogiSetuReport #JusticeForStudents #FightForRight #ScholarshipRestored

Yogi Setu logo png
Yogi Setu

Blue Photo Job Vacancy Instagram Post_20250121_005908_0000

Related Articles

Back to top button
Open chat
Hello
Can we help you?